મુશ્કેલીઓને તકમાં ફેરવવાની આવડત ધરાવતા લોકો વિકટ સમયમાં તૂટી જવાને બદલે વધુ તાકાતથી પોતાને રી-લૉન્ચ કરતા હોય છે.
‘તું મારા વખાણ કરે છે કે મજાક?!’ આવો મૂંઝવણભર્યો પ્રશ્ન પૂછવાની નોબત દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક તો આવીજ હશે. અમુક તો શબ્દો જ એવા છે કે જે આપણા માટે વપરાય ત્યારે મનમાં આવો સંદેહ ઉભો થવો સ્વાભાવિક હોય છે, દાખલા તરીકે કોઈ તમને ‘લુચ્ચો’ કહે તો તમે એને વખાણ ગણો કે નિંદા?! આડકતરી રીતે એણે તમને બુદ્ધિશાળી કહ્યા કારણ કે લુચ્ચાઈ કરવા બુદ્ધિ જોઈએ, મૂરખાઓ લુચ્ચાઈ ના કરી શકે. જેટલી વ્યક્તિની બુદ્ધિ વધારે તેટલી તેની ચાલાકી કે લુચ્ચાઈ કરવાની ક્ષમતા વધારે, એ દ્રષ્ટિએ તમારા વખાણ થયા! હા, બુદ્ધિશાળી વ્યક્તિ લુચ્ચાઈ કરશે કે નહીં અથવા કયા સંજોગોમાં, કોની સાથે કરશે તે બીજી ઘણી બાબતો પર આધારિત હોય છે. અને, નિંદા એ રીતે કે એને તમારા ઈરાદાઓ પર સંદેહ છે! જયારે વ્યક્તિને તમારા ઈરાદાઓ કે નિષ્ઠા પ્રત્યે સંદેહ હોય ત્યારે એ તમને આસાનીથી ‘લુચ્ચા’ હોવાનું બિરુદ આપી શકે છે, સ્વાભાવિક છે એ તમારા વખાણ નથી પરંતુ નિંદા છે. આજના સમયમાં ચલણમાં મૂકી…
View original post 674 more words