Skip to content

વિચારો, ઘટનાઓ, સંજોગો, વાસ્તવિકતા વગેરે પચાવવાની તાકાત તમારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત બનાવે છે!

14/08/2020

Dr.Hansal Bhachech's Blog

‘રિમિક્સ’ અને ‘રીક્રીએટ’નો જમાનો છે, થોડું ઓરીજીનલ અને થોડું નવું પોતાનું એ તેની ફોર્મ્યુલા છે. આજે મને અકબર-બીરબલના નામે એક વાર્તા ફરે છે તેને ‘રીક્રીએટ’ કરવાનો મૂડ આવ્યો છે! ચાલો મારુ નવું વર્ઝન સંભળાવું. એકવાર અકબરે બીરબલને એક બકરો આપ્યો અને કહ્યું ‘આ બકરા માટેનો ઘાસ-ચારો શાહી ગમાણમાંથી આવશે અને મારા સિપાહીઓ તું એ પુરે-પુરો બકરાને ખવડાવે તેનું ધ્યાન રાખશે. એક મહિનાના આ નિત્યક્રમ પછી ભર્યા દરબારે આ બકરાનું વજન થશે અને જો એનું વજન વધશે તો તને એક વર્ષની સખત જેલ થશે! અને હા, આ વખતે બકરાની સામે સિંહ-વાઘ એવું બાંધવાની(મૂળ વાર્તા મુજબ) ચાલાકી કરવાની નથી’ બિરબલની મનોમન ઈર્ષ્યા કરતા દરબારીઓએ તો અકબરની આ વાત વધાવી લીધી, શાહી ઘાસચારો ખાઈને બકરાનું વજન ના વધે તેવું થોડું બનશે, આ વખતે તો બીરબલને કારાવાસ નક્કી છે. એક વૃદ્ધ કારભારીએ સંદેહ વ્યક્ત કર્યો ‘જહાંપનાહ ગુસ્તાખી માફ, બીરબલ બકરાને બીમાર પાડી દે તો?!’ અકબરે તાત્કાલિક પશુચિકીત્સકને રોજ બકરાની તબીબી સંભાળ લેવાનો હુકમ કર્યો.

View original post 732 more words

From → Reblogged

Leave a Comment

Comments please...